Click on top right corner of a book to start reading online.
About this book
ત્રિલોકગુરુ તીર્થકર પરમાત્મા મહાવીરદેવના શાસન ઉપર ઝીંકાએલા બાહ્ય અભ્યંતર આક્રમણોની ગંભીર સમજણ આપીને તે આક્રમણોને દૂર કરવા પૂજ્યશ્રીએ નક્કર ઉપાયો પણ આ પુસ્તકમાં કમનીય કલમે આલેખ્યા છે.
શાસનને (તીર્થને) નમસ્કાર કરીને જ તીર્થકરદેવ સમવસરણમાં દેશના આપે છે. ‘મરીને પણ જીવવા દો’નો અલૌકિક પાઠ આ ‘શાસન’ શીખવાડે છે.
જૂથબંધી, ગુમાવેલો આત્મવિશ્વાસ, નિર્માલ્યતા વગેરે ઘરના જ વિનાશક તત્વો ઉપર પૂજ્યશ્રીએ સુંદર સમજણ આપીને સત્વરે દૂર કરવાની અપીલ કરી છે.
બાહ્ય આક્રમણો સામે ચારે ય પરંપરાઓના અનુયાયીઓએ સંપી જઇને ‘એકસંપી’ને આદર્શ તરીકે રાખીને ‘શાસનરક્ષા’ કરવા આગળ વધવું જ પડશે.
શાસનરક્ષા નિમિત્તે અઠ્ઠમ વગેરેનો તપ, ‘નમો જિણાણં જિઅભયાણં !’ પદનો જપ, લોગસ્સનો કાયોત્સર્ગ - ત્રણેય અંતરંગ બળોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરુ થાય તો મુશ્કેલીઓનું નિવારણ શકય બને.
જિનશાસનની રક્ષા કરનારા આપણે કોણ ? એ જ આપણી રક્ષા કરી રહ્યું છે. એટલે રક્ષાને સેવાના જ (જિનશાસનસેવા) પર્યાય તરીકે વિચારવી.
જિનશાસનના અસીમ બે ઉપકારો - (૧) અસાર જગતનું દર્શન કરાવ્યું. (૨) જગત્પતિ દર્શન.....
રાષ્ટ્ર, પ્રજા અને સંસ્કૃતિના સ્તરોની સુરક્ષા કરવી હોય તો ‘ધર્મરક્ષા’ કરવી જોઇએ. ‘ધર્મરક્ષા’ કરવાની બાબતમાં જીવનમાં કયારેય હતાશાને સ્થાન ન જ આપવું જોઇએ. સ્વહિતની કોઇ પણ આરાધના પાછળ ‘સર્વહિત’ની જીવંત કામના હોય તો તે સ્વહિતજનિત પુણ્યબળ સર્વહિતમાં પરિણમે.
Jinshashan na asim 2 upkaro - 1) Asar jagat nu darshan karavyu 2) Jagatpati nu darshan karavyu.
Chandrashekharvijayji M.S.
Jivta to haju pan avadse, Marta to kok ne j aavde
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Jo Sikshak Baa bane ane Baa Sikshak bane to Baal Sanskaran Apporav bani jaay