Click on top right corner of a book to start reading online.
About this book
મહીસાગરના કાંઠે આવેલા સુવર્ણગઢ ગામનિવાસી વિમળશેઠ અને જીવરામદા’ના પાત્રવાળા આ કાલ્પનિક કથાનક દ્વારા પૂજ્યશ્રીએ ‘વિરાગની મસ્તી’નું અદ્ભુત વર્ણન કર્યુંર્ં છે. વિમળશેઠના મૃત્યુ વખતે જ્યારે ગ્રામજનો શોકસાગરમાં ડૂબી ગયા હતા ત્યારે જીવરામદા’એ મૃત્યુની અનિવાર્યતા સમજાવી - આ લખાણ વાંચતા નયનો સજળ થયા વિના ન રહે.
વિમળશેઠ દેવલોકમાંથી આવીને જીવરામદા’ સાથે ધર્મની જે વાતો કરે છે તે વાંચતા પૂજ્યશ્રીના ‘વિરાગ’ પ્રત્યે ખરેખર ઓવારી જવાનું મન થાય.
પૃ. ૯૭ ઉપર ‘જ્ઞાની તે જ કહેવાય જે વિરાગી હોય. જ્ઞાન અને રાગ બે પ્રકાશ અને તિમિર સમાં વિરોધી તત્ત્વો છે.’ - વિવેચનમાં ‘જ્ઞાનસમૃદ્ધ’ થવાની સાથે સાથે અચૂક ‘વિરાગસમૃદ્ધ’ થવાની પણ સહુને ખૂબ જ લાગણીશીલ ભાષામાં પ્રેરણા કરી છે.
ધર્મરાજ અને મોહરાજના યુદ્ધ-વિવેચનની વાતો ખૂબ જ રોચક શૈલીમાં કરીને અતિ ભયંકર મોહરાજ (મોહનીય કર્મ) સામે શી રીતે સફળ થવું ? તે અંગે પૂજ્યશ્રીએ સુંદર માર્ગદર્શન આપીને આપણા ઉપર અત્યંત ઉપકાર-વર્ષા કરી છે.
આ કથાનકમાં જૈનધર્મના અનેક સિદ્ધાન્તો એવી સરસ શૈલીમાં પીરસ્યા છે કે આ પુસ્તક વારંવાર વાંચવાનું મન થયા વિના ન જ રહે.
પૂજ્યશ્રીના જેવો ‘વિરાગ’ સહુને પ્રા થાય તેવી પ્રભુને અંતરથી પ્રાર્થના.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Jo Sikshak Baa bane ane Baa Sikshak bane to Baal Sanskaran Apporav bani jaay