ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.
પુસ્તક વિશે
મૂંઝવતા પ્રશ્નોના સુંદર સમાધાનો પૂજ્યશ્રીએ ખૂબ સચોટ રીતે આ પુસ્તકમાં આલેખ્યા છે.
સૂંઠ ખવાય તો બટાટાની કતરી કેમ ન ખાઇ શકાય ? ભૂતકાળમાં બેય અનંતકાય હતા ? આ પ્રશ્નનું સુંદર સમાધાન આપ્યું છે.
પર્વતિથિએ મગના શાક કરતાં પાકા કેળાનું શાક ખાવામાં ઓછી હિંસા નહીં ?
વૈજ્ઞાનિકો ચંદ્રલોક ઉપર પહોંચી ગયા છે ?
સ્કુલો અને કોલેજોમાં ધાર્મિક શિક્ષણની જરુર ખરી કે નહીં ?
જૈનોનું સૌ પ્રથમ કર્તવ્ય શું હોઇ શકે ?
સાધ્વીજી મહારાજ પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે ખરા?
એમ.સી. કોર્સમાં આવેેલા બેન ચાર દિવસ ધર્મ ક્રિયાથી વંચિત રહી જાય તે શું યોગ્ય છે?
દેશ કાળને અનુલક્ષીને શાસ્ત્ર - સિદ્ધાંતમાં બાંધછોડ થઇ શકે ?
અત્યંત ઝેરી શિક્ષણ બાળકોને અપાવ્યા વિના ન જ ચાલે તેમ હોય તો શું કરવું ?
આ કાળના જૈન ગૃહસ્થની મોટામાં મોટી શ્રી જિનશાસનની સેવા કઇ ?
પરદેશોમાં ધર્મપ્રચાર કરવા જવાની શું જરુર નથી લાગતી ?
શું ભગવાન શ્રીકૃષ્ણ નરકમાં ગયા છે ?
આપ ‘માઇક’નો ઉપયોગ નહીં જ કરવાના શા માટે આગ્રહી છો?
આ સિવાય અનેક પ્રશ્નોના સમાધાનો વાંચવાથી પૂજ્યશ્રીની સૂક્ષ્મબુધ્ધિ, દીર્ઘદૃષ્ટાપણું, ઠોસ શાસ્ત્રીયાભ્યાસ આદિ જણાયા વિના નહીં જ રહે.