Click on top right corner of a book to start reading online.
About this book
પરદેશી પદ્ધતિના શિક્ષણનો ઢાંચો જ એવો છે કે તેમાંથી આપણી પ્રાચીન ગૌરવગાથાઓ વીસરાતી જાય અને સંસ્કૃતિ તથા પ્રજાનો વિધ્વંસ કરનારી પશ્ચિમની રહેણીકરણી વગેરે તરફ વિદ્યાર્થીઓ આંધળા ભક્ત બની જાય.
પૂજ્યશ્રીએ આ નાનકડી પુસ્તિકામાં આધુનિક શિક્ષણના અનેક અનર્થો પૂરી મર્દાનગીથી ઉઘાડા પાડ્યા છે.
જાતીયશિક્ષણપ્રદાન વગેરે સુધી ઉતરી ગયેલું આજનું શિક્ષણ બાળકોને કદી પણ સદાચાર પકવી શકશે ખરું ? ભાવી પેઢીનું ખરાબમાં ખરાબ સર્જનહાર શિક્ષણ જ બની રહ્યું છે.
ડીગ્રી, દીકરી, નોકરી - મુખ્યત્વે આજના શિક્ષણના ત્રણ લક્ષો રહ્યા છે.
જેમ શિક્ષણ વધશે તેમ નક્કી પ્રાચીન ધંધાઓ તૂટતા જાય છે, બેકારી વધતી જાય છે. નોકરો- ગુલામોની ઓેલાદ શિક્ષણ પકવતું જાય છે ! કેટલું બિહામણું સત્ય છે !
વર્તમાન શિક્ષણે માનવને સ્વાર્થી, પ્રપંચી, માતા પિતાનો દ્વેષી, ઈન્દ્રિય સુખોનો બેલગામ વિલાસી બનાવ્યો છે.
કહેવાતા વિજ્ઞાનયુગના કિશોર - કિશોરીઓ પોતાની જાતે જીવનસાથીની પસંદગી કરવા લાગ્યા છે. હા, હજી પચાસ વર્ષ પહેલાના કિશોરો આવું કદી ન કરતા, પણ આજના કિશોરોને આવું શિક્ષણ જ આપવામાં આવતું હોય ત્યાં એ પણ શું કરે ?
પશ્ચિમી શિક્ષણના પ્રેમીઓને લપડાક મારતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર મનનીય છે.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo