Click on top right corner of a book to start reading online.
About this book
આર્યાવર્તની સંસ્કૃતિનો જે મૂળાધાર છે, જેનો સ્વીકાર વિજ્ઞાન ન કરે તો વિજ્ઞાન સાથે ધર્મનો મેળ બેસી શકે તેમ નથી તે ‘આત્મતત્વ’ ઉપર અર્વાચીન શૈલીથી પ્રકાશ ફેંકતું પૂજ્યશ્રીનું આ પુસ્તક અધ્યાત્મ માર્ગે આગળ વધનાર માટે ‘દીવાદાંડી’ની ગરજ સારે છે.
‘આત્મા’ છે, છે, ને છે જ. અગણિત સંતો અને મહાસંતોની કઠોર સાધનાઓમાંથી ફલિત થએલો આ સિદ્ધ વિચાર છે.
‘જો દેહ જ આત્મા હોય તો સ્મશાનમાં લાકડા ઉપર જે મડદું છે તે કેમ બોલતું નથી?’
‘બુધ્ધિ નહિં દેખાવા છતાં બાહ્ય કાર્યો ઉપરથી માણસમાં બુધ્ધિ છે એવું અનુમાન થઇ શકે છે એ જ રીતે આત્મા દેખાતો નથી છતાં તેના હોવાથી જ શરીરમાં સુખ-દુઃખના સંવેદનો જોવા મળે છે.’
જે શાસ્ત્રપ્રણેતા વીતરાગ, વીતદ્વેષ અને સત્યવાદી હોય એમના વચન ઉપર આપણે પરિપૂર્ણ વિશ્વાસ મૂકી જ દેવો જોઇએ. શાસ્ત્રપ્રણેતાની મહાનતાની સાબિતી એમના સ્વરુપ, જીવન અને મૂર્તિ - આ ત્રણમાંથી બધું ય જણાઇ જશે.
‘ધ પાવર વિધીન’ નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન લખે છે કે, ‘મારી બધી વાતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તો એટલો જ કે આત્માનું મૃત્યુ હોઇ શકતું જ નથી !! - એલેકઝાંડરે વશીકરણની વિદ્યાથી અનેકોને પૂર્વજન્મની સાબિતી કરાવી આપી હતી.’
જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત ‘અનાદિત્રિક’- જીવ અનાદિ, જીવ + કર્મનો સંયોગ અનાદિ અને જગત અનાદિ.... વગેરે અનેક પદાર્થો ઉપર શાસ્ત્રવેત્તા પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં ખૂબ સુંદર છણાવટ આ પુસ્તકમાં કરી છે.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Jo Sikshak Baa bane ane Baa Sikshak bane to Baal Sanskaran Apporav bani jaay
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...