Click on top right corner of a book to start reading online.
About this book
આ માનવજન્મ દ્વારા ‘અજન્મા’ બનવાની સાધના થઇ શકેેે છે; માટે દેવજન્મ કરતાં ય માનવજન્મ ઉત્તમ કહ્યો છે. જે માનવજન્મ પામ્યા પછી જન્મ આપવાનું નિમિત્ત બનવાનું બંધ થતાં થતાં જન્મ પામવાનું પણ બંધ થવાની ભવ્ય ભૂમિકા તૈયાર થતી હોય તે માનવજન્મ ખૂબ જ વખાણવા લાયક ગણાય.
‘તત્ત્વજ્ઞાનનું ઝરણું’, પ્રકરણમાં પૂજ્યશ્રીએ જૈન સિદ્ધાંતની કેટલીક ખૂબીઓ, કર્મ અને તેના બંધઃ અનુબંધ ઉપર સુંદર ચિંતન રજૂ કર્યુ છે.
‘ધર્મનો મર્મ’ - પ્રકરણમાં જૈનપણું, શ્રાવકપણું, ધર્મનો અધિકારી કોણ ?, ધર્મ અને ધર્મક્રિયા વચ્ચે ભેદ વગેરે વિષયોેને સૂક્ષ્મબુધ્ધિથી સમજાવવામાં પૂજ્યશ્રીએ ખૂબ જહેમત ઉઠાવી છે.
‘મુક્તિના માર્ગે’ - પ્રકરણમાં આસકિતના પાપની ભયંકરતા + સમતા ગુણની ભદ્રંકરતા સુપેરે સમજાવી છે. મુમુક્ષુને મમતામયી વાણીમાં માર્ગદર્શન આપ્યું છે. નિશ્ચય - વ્યવહાર ઉપર ખૂબ સરસ રીતે સમજણ આપી છે.
‘સાધુતાની સાધના’ - પ્રકરણમાં સાધુજીવનની કઠિનતા વર્ણવી છે. સાધુ જીવનના કાંટાળા માર્ગને સુંવાળો માર્ગ બનાવવા માટે ‘ગુરુકૃપા’ની અત્યંત આવશ્યકતા જણાવી છે. સંયમજીવન તો જ સફળ થાય જો પાપને ખૂબ ભયંકર માનવામાં આવે. પાપભયંકરતા ખૂબ સચોટ રીતે પૂજ્યશ્રીએ વર્ણવી છે.
આ પુસ્તકના ટૂંકા લેખો જો શાંત ચિત્તે મનનપૂર્વક વાંચવામાં આવશે તો જીવનનો ગલત રાહ બદલાયા વિના નહીં જ રહે.
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.
Chandrashekharvijayji M.S.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Jinshashan na asim 2 upkaro - 1) Asar jagat nu darshan karavyu 2) Jagatpati nu darshan karavyu.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.