ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.
પુસ્તક વિશે
ખાસ કરીને યુવાનો, રાજકારણ અને જૈનસંઘને લગતી સળગતી સમસ્યાઓના ઉકેલો બતાડતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. આ ઉકેલો વાંચતાં પૂજ્યશ્રીના સરળતા, શાસ્ત્રસાપેક્ષતા, દીર્ઘદર્શિતા વગેરે ગુણોે ઝળહળાટ જીવંત રીતે જોવા મળે છે.
વિજ્ઞાન સાથે ધર્મનો સમન્વય સંભવિત છે ?
“સતી” થવાનો સમય સારો કે આજનો સમય ?
અંગ્રેજોએ બગાડેલી બાજી સુધારવાના ઉપાયો કયા ?
જનસેવા એ જ પ્રભુ સેવા નથી ?
અનામત- બેઠકો અંગે આપનું શું મંતવ્ય છે.?
ગુરુકૃપાનું બળ છે કે શિષ્યના પુરુષાર્થનું ?
આત્મતત્વની પ્રાપ્તિના સરળ ઉપાયો કયા ?
બુધ્ધિજીવી વર્ગમાં વધુ ભષ્ટાચાર કેમ છે ?
વિદેશોમાં ધર્મ પ્રચારની વધુ જરુર નથી ?
યુવાનોને બચાવવા શું કરવું ?
સાધારણ ખાતાની આવક કરવાના શાસ્ત્રીય માર્ગો કયા ?
ભગવાન પાસે સંસાર સુખ મંગાય ?
“સારા” સિનેમા જોઇ શકાય ?
“વીડીઓ” વગેરેથી જૈન ધર્મને વિશ્વવ્યાપી ન બનાવાય ?
છૂટાછેડામાં લાભ કે નુકસાન ?
રામાયણ અને મહાભારતના મૂળમાં કયું તત્વ પડ્યું છે ?
નવી પેઢીના કુસંસ્કારમાં વાલીઓ જ નિમિત્ત નથી ?
જૈન સંઘનું ભાવી આશાસ્પદ ખરું ?
યૌવનને અકલંક રાખવાનો ઉપાય શું ?
બટાટા વગેરેના અનંત જીવો યન્ત્રથી દેખાય ?
આ સિવાય અનેક પ્રશ્નોના સચોટ ઉકેલો વાંચ્યા બાદ મનમાં ઘર કરી ગયેલી જૂની મુંઝવણો શાંત થઇ જવાથી ધર્મ માર્ગે અચૂક આગળ વધી શકાશે.