જો શિક્ષક બા બને અને બા શિક્ષક બને તો બાળસંસ્કરણ અપૂર્વ બની જાય.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
ભૂલમાંય ગુરુદ્રોહ કરશો નહિ. એમની હાય તરત પરચો આપ્યા વિના રહેતી નથી.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
શ્રી અરિહંત પરમાત્માની દેશના નો સાર: હે જીવ! તું બીજાના દુ:ખોને દુર કરવાનો પ્રયત્ન કર. હે જીવ! તું તારા દોષો ને દુર કરવાનો પ્રયત્ન કર.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
ગમે તેવા સંયોગો માં મસ્ત રહેવા ઈચ્છતા હો તો. તમારા માઈનસ (દોષો) જુઓ. બીજાના પ્લસ (ગુણો) જુઓ.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
જો તમારા જીવન માં "સ્વદોષદર્શન" નો ગુણ આત્મસાત નહિ થાય અને "પરદોષદર્શન" નો ભયાનક દોષ નાબુદ નહિ થાય તો તમારા આલોક + પરલોક ભયાનક બની જશે.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
તમારી દૈનિક નોંધપોથી માં: 1) રોજ એક સારો વિચાર ટપકાવો. 2) રોજ એક સારું કામ કરી તેની નોંધ કરો.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
સદગુરુ પાસે તમારા સઘળા પાપો નું પ્રાયશ્ચિત કરો. પછી...નવું પ્રભાત...નવું જીવન...
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
જીવતા તો હજુ પણ આવડશે, મરતા તો કો'ક ને જ આવડે
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
ધિક્કાર થી જીત મેળવવા કરતાં તો વાત્સલ્ય થી હાર પામવી સારી છે
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.
સાચા ધર્મીનું લક્ષણ: જેનું માથું બરફ થી ય વધુ ઠંડુ અને જેનું હૈયું માખણ થી ય વધારે કોમળ હોય.
પૂ. પં. ચંદ્રશેખરવિજયજી મ. સા.